નભ વિહારીણી – ચિરાગ પટેલ જુલાઈ 10, 2009
વન વિહારીણી સંધ્યાને જોઈ, મેં પૂછ્યું સુરજને;
નભ વિહારીણી ચાંદ ક્યારે અજવાળશે હૃદયને.
પ્રેમના તરંગો ઉઠે જ્યારે લાગણીના સરવરે;
એને વધાવતો ચાંદ ક્યારે ઉમટશે આ અવસરે.
ચાંદને ભેટવા વ્હાલે ખારો દરિયો મથે ભરતીએ;
અફળાતો પાછો હૈયે, ના લાંધે યોજનો ત્યારે, ઓટે.
ઈશારો આપ્યો મેં ‘ને ચમકાવ્યા લાખો તારલાં;
શરમાયો ચાંદ ‘ને પડઘાવી લાગણીઓ-શી કલા.