08.08.08

ઉપવન

Posted in કવિતા, ચિરાગ પટેલ at 10:38 pm by Chirag

ઉપવન – ચીરાગ પટેલ ઑગસ્ટ 01, 1998

જોને, કેટલા બધાં પારુલ ખીલ્યાં છે મારા ઉપવનમાં,
મારું મન નાચી રહ્યું છે મયુરી બની, આ ઉપવનમાં.

પેલું પતંગીયું રસપાન કરી રહ્યું છે, ઓષ્ઠોનું તારા,
ઈર્ષાળું હું, તેને ઉડાડી, માણી રહ્યો છું તારા નયનતારા.

હવાની લહેરખી મસળી રહી છે, તારા બદનને,
રોકવા મથામણ કરી રહ્યો છું, નીષ્ઠુર એવા પવનને.

મારું પુષ્પ કેવું હીલોળા લઈ રહ્યું છે યૌવનમાં,
આસવ માણી રહ્યો છું તારા આ પુષ્ટ સ્તનાગ્રોમાં.

સ્પર્શ કરતાં પણ ડરું છું, છે તું ખુબ કોમળ,
અનુભવું છું તારો પ્રેમ, જે છે ખુબ નીર્મળ.

વસી રહી છે તું મારા અણુએ અણુમાં,
પીગળી રહ્યું છે હૈયું, યાદ તારી મનમન્દીરમાં.

1 Comment »

  1. pragnaju said,

    ૮૮૮ આમેય આધ્યાત્મિક ગણિતમાં ભગવાનનો આંક છે( જેમ ૬૬૬ શેતાનનો)
    ત્યાં આ પંક્તીઓએ તેનૉ અણસાર કરાવ્યો
    જોને, કેટલા બધાં પારુલ ખીલ્યાં છે મારા ઉપવનમાં,
    મારું મન નાચી રહ્યું છે મયુરી બની, આ ઉપવનમાં.
    વસી રહી છે તું મારા અણુએ અણુમાં,
    પીગળી રહ્યું છે હૈયું, યાદ તારી મનમન્દીરમાં.


Leave a Comment