August 8, 2008

ઉપવન

Posted in કવિતા, ચિરાગ પટેલ at 10:38 pm by Chirag

ઉપવન – ચીરાગ પટેલ ઑગસ્ટ 01, 1998

જોને, કેટલા બધાં પારુલ ખીલ્યાં છે મારા ઉપવનમાં,
મારું મન નાચી રહ્યું છે મયુરી બની, આ ઉપવનમાં.

પેલું પતંગીયું રસપાન કરી રહ્યું છે, ઓષ્ઠોનું તારા,
ઈર્ષાળું હું, તેને ઉડાડી, માણી રહ્યો છું તારા નયનતારા.

હવાની લહેરખી મસળી રહી છે, તારા બદનને,
રોકવા મથામણ કરી રહ્યો છું, નીષ્ઠુર એવા પવનને.

મારું પુષ્પ કેવું હીલોળા લઈ રહ્યું છે યૌવનમાં,
આસવ માણી રહ્યો છું તારા આ પુષ્ટ સ્તનાગ્રોમાં.

સ્પર્શ કરતાં પણ ડરું છું, છે તું ખુબ કોમળ,
અનુભવું છું તારો પ્રેમ, જે છે ખુબ નીર્મળ.

વસી રહી છે તું મારા અણુએ અણુમાં,
પીગળી રહ્યું છે હૈયું, યાદ તારી મનમન્દીરમાં.

2 Comments »

  1. pragnaju said,

    ૮૮૮ આમેય આધ્યાત્મિક ગણિતમાં ભગવાનનો આંક છે( જેમ ૬૬૬ શેતાનનો)
    ત્યાં આ પંક્તીઓએ તેનૉ અણસાર કરાવ્યો
    જોને, કેટલા બધાં પારુલ ખીલ્યાં છે મારા ઉપવનમાં,
    મારું મન નાચી રહ્યું છે મયુરી બની, આ ઉપવનમાં.
    વસી રહી છે તું મારા અણુએ અણુમાં,
    પીગળી રહ્યું છે હૈયું, યાદ તારી મનમન્દીરમાં.

  2. Chirag Patel said,

    Dear Chirag

    ur blog is realy so niceeeeeeeeee.
    wonderful !!!!!!!!

    lekh , suvakyo, kavita badhu bahu saras 6e dost !!

    Shubh Divas !!!!!

    Chirag Patel


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.