08.02.08
ભરમ
ભરમ – બંસીધર પટેલ સપ્ટેમ્બર 04, 1995
અરીસો તુટી ગયો, પ્રતીબીમ્બ બન્યું ધુંધળું.
વીચારોના વૃન્દાવનમાં મન ખોવાઈ ગયું.
વાગોળી-વાગોળી ભુતકાળને, કર્યું મનોમંથન.
ના નીકળ્યું માખણ કે ફોદા, રહ્યું જેમનું તેમ.
જીવન એ શું નથી વલોણું મનોમંથનનું?
કર્મ, ધર્મ, સંસારીના, ભેદભરમ વળી સ્વારથના.
નથી ઉકેલવા ભેદ જન્મોજન્મના ઉથાપી.
આ જન્મની કથની શું ઓછી ડહોળાયેલી છે?
સગા-વહાલા-દૌલા, ભલા-બુરા દીઠા સહુ.
ન મળ્યું કોઈ નીઃસ્વાર્થી, નથી કોઈ દીલાર વળી.
હશે કોઈક વીરલો, કર્મઠ જે મળવો બાકી હજી.
વીસ્તારનો વ્યાપ છે સહુ, માયાજાળ કુદરતની.
જીંદગીમાં સુરજ ઉગ્યો, આથમ્યો, વળી ઉગ્યો અનેકવાર.
પ્રકાશ, અન્ધકાર, પાછો પ્રકાશ, એ ઘટમાળ ક્રમબધ્ધ બધી.
તડકો, છાંયો નીહાળ્યો ઘણો, માનવ મહેરામણ મહીં.
જીન્દગીના રણમાં, મીઠી વીરડીનું અમૃતપાન કદીક.
આનન્દ, શોક, ઉતાપ, જેમાં જીન્દગીનો રાઝ છે.
જનમ જનમના ફેરા ફરી, મળ્યો માનવદેહ અહીં.
લખ ચોર્યાસી ફરતાં ફરતાં, કરી સલામ જીન્દગી તને.
હવે પુનઃ પ્રતીબીમ્બ નીરખવાની કરવી નહી ભુલ કદી.
સુરેશ જાની said,
August 3, 2008 at 1:31 am
સરસ મનોમંથન. ગમ્યું.
Chirag Patel said,
August 3, 2008 at 2:53 pm
અભીનંદન. આમ જ કાવ્યરચના પણ ક્યાંક અધ્યાત્મ તરફ લઈ જાય છે.–જુ.
pragnaju said,
August 4, 2008 at 2:45 am
આનન્દ, શોક, ઉતાપ, જેમાં જીન્દગીનો રાઝ છે.
જનમ જનમના ફેરા ફરી, મળ્યો માનવદેહ અહીં.
લખ ચોર્યાસી ફરતાં ફરતાં, કરી સલામ જીન્દગી તને.
હવે પુનઃ પ્રતીબીમ્બ નીરખવાની કરવી નહી ભુલ કદી.
ખૂબ સુંદર્
Neela said,
August 6, 2008 at 11:39 am
ન મળ્યું કોઈ નીઃસ્વાર્થી, નથી કોઈ દીલાર વળી.
હશે કોઈક વીરલો, કર્મઠ જે મળવો બાકી હજી.
વીસ્તારનો વ્યાપ છે સહુ, માયાજાળ કુદરતની.
v.. good