12.08.07

ધૈર્ય

Posted in કવિતા, બંસીધર પટેલ at 5:38 pm by Chirag

ધૈર્ય – બંસીધર પટેલ Nov 16, 1994

ધૈર્ય ધરો ઓ મનવા,
કાળની થાપટ ખાઈને.

ઉડતાં પંખેરું નીલ ગગનમાં,
એ જ ધૈર્યનાં વીશ્વાસે.

તૃષા હોય બેહદ જીવન જળની,
ભમતું એ વીહગ સ્વબળે.

ઉતાર-ચઢાવ વાળો જીવન તણો એ રાહ,
વીશ્વાસ સ્વ તણો કરે પાર.

1 Comment »

  1. ઉતાર-ચઢાવ વાળો જીવન તણો એ રાહ,
    વીશ્વાસ સ્વ તણો કરે પાર.

    YOU ARE DOING A GREAT SERVICE TO PUT YOUR FATHER BACK TO LIFE!


Leave a Comment