07.30.07
guru purnima – Chirag Patel
ગુરુ પુર્ણીમા – ચીરાગ પટેલ Jul 30, 2007
વીવેકાનંદ સ્વામી હે, છે રામકૃષ્ણ પામતાં |
આકાશે તમ સપ્તર્ષી, અવતરણ પામતાં ॥
ભારતનાં સપુતોમાં, ક્રાંતીકારી તમે જ છો |
ભવ્યતમ જતીઓમાં, ગુણનીધી તમે જ છો ॥
સભાઓ ગજવી જ્યારે, બધાંને ભાવ થાય છે |
ઉપનીષદ અમૃતે, નીચોવી આપ પાવ છો ॥
પીરસ્યું રાજયોગે જે, નીખાર્યું પ્રેમયોગમાં |
નીરખ્યું કર્મયોગે જે, નીતાર્યું ભક્તીયોગમાં ॥
શુભ નીષ્ઠા વીચારોમાં, કાર્યોમાં પણ પ્રગટે |
ચીનગારી જગાવ્યામાં, સાચી ફોરમ પ્રગટે ॥
વીરમું તમને આજે, ગુરુ તમે અમાપ છો |
અંબા શરણ રાખો હે, વંદન વારંવાર હો ॥
———————————————————
આજે ગુરુ પુર્ણીમા નીમીત્તે અનુષ્ટુપ છંદમાં સ્વામી વીવેકાનંદને અર્પણ.
બંધારણ:
8 અક્ષરના એવા ચાર ચરણ
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’
પહેલા/ત્રીજા ચરણમાં 7મો ‘ગા’
બીજા/ચોથા ચરણમાં 7મો ‘લ’
07.29.07
ghantnaad – Bansidhar Patel
ઘંટનાદ – બંસીધર પટેલ
મંદીરની ઘસી પગથારો, તોય હરી નવ મળ્યો;
ઘસ્યા મંજીરા, સાજ બેહદ, તોય વ્હાલો નવ રીઝ્યો.
કર્યું શાસ્ત્ર અધ્યયન અતી, તોય પ્રભુ નવ પીગળ્યો;
ધોઈ મુર્તીઓ સવાર સાંજ, તોય વાલમ નવ ઝુક્યો.
હવે છોડો એ જીદ, ઘંટના સુર થયા બેસુર;
લળી લળી લાગો છો પાય, એ વીસરેના કસુર.
રાત દીન કર્યા બહુ ઉજાગરા, પથ્થર કેમે રીઝે;
ભજન-કીર્તન કેરા નાદ, પહોંચ્યા સહેજે ના ઈશ્વર.
કર્યું તપ-મંત્ર-જાપ વારંવાર, તોય પાણીમાં પુરુ થાય;
બહારી દુનીયામાં ભટક્યો, અહી તહી તોય સર્વ વીફળ.
કીધું નવ અંતર દર્શન, કાઢ્યો ના મનનો મેલ;
સાચી પુજા-ભક્તી એક જ, મન ચંગા તો કથરોટમાં ગંગા.
ઈશ્વર એ તો વરેલો ઈશને, સર્વ મર્મજ્ઞ સચરાચર;
ભુલો કદી નવ પડે, નીરખે જગતનું અંતરમન.
હ્રદય જો હોય નીર્મળ, વ્હાલો દોડે ખુલ્લ પાદ;
પામવો જો હોય ઈશને, તો નીર્મળ મનવચન કરો.
aachaar sanhitaa – Bansidhar Patel
આચાર સંહીતા – બંસીધર પટેલ
આજ સુધી દુનીયાના જેટલા સંત, મહાત્મા, પયગંબર, ઓલીયા, ફીલસુફ થઈ ગયા તે તમામ; અરે ભગવાન શ્રીકૃષ્ણે પણ વીશ્વના મહાન ગ્રંથ ‘ભગવદ ગીતા’ દ્વારા કર્મના સીધ્ધાંતો દુનીયા સમક્ષ મુક્યા. ખરેખર આચાર સંહીતા એ સાપેક્ષ બાબત છે. તમામ ધર્મોનાં મુળમાં સ્વીકૃત આધાર સ્થંભ સમાન છે. સૃષ્ટીની ઉત્પત્તીથી આધુનીક દુનીયાની વાસ્તવીક પ્રગતીમાં પણ આચાર સંહીતા પાયાનો સીધ્ધાંત રહેલો છે. ભગવાન શ્રીમહાવીરે આચાર પ્રથમો ધર્મ ગણી જૈન વીચારધારામાં આચાર સંહીતાને પ્રમુખ સ્થાન આપેલું છે. ભગવાન બુધ્ધે પણ આચાર અથવા કર્મયોગના સીધ્ધાંતને મુખ્ય ગણ્યો છે.
ધર્મ હોય કે રાજકારણ આચાર સંહીતા એ મુખ્ય અને મુળભુત સર્વસ્વીકૃત સીધ્ધાંત છે. આપણા પ્રશનન શાસ્ત્રોમાં પણ એવા કેટલાય અગણીત દાખલાઓ મોજુદ છે, કે જેમણે આચાર-વીચાર ખાતર પોતાના પ્રાણનું પણ બલીદાન આપેલ છે. જેમકે રાજા હરીશ્ચન્દ્ર સત્યની ખાતર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આધુનીક સમયમાં મહાત્મા ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ. રાધાકૃષ્ણન કે શ્રીમદ રાજચન્દ્ર જેવા ભારતના મહાન સપુતોએ અણીશુધ્ધ આચાર સંહીતાનું પાલન કરી બતાવ્યું છે. અરે ભારતના રાજ્ય બંધારણમાં પણ આચાર સંહીતાને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. રાજકારણી નેતા હોય કે કર્મચારી અધીકારી હોય, સામાન્ય નાગરીક હોય કે કોઈ સામાજીક કાર્યકર હોય, સર્વેના આચાર સંહીતાના પાયાની બાબત છે. એટલું જ નહી આચરણ વગર મનુષ્ય અસામાજીક બની જાય છે. એવું અત્યારના દુષીત વાતાવરણ ઉપરથી સ્પષ્ટ જણાય છે. કોમી હુલ્લડો, સાંપ્રદાયીક અસામાંજસ્ય, વેરભાવ, દુષીત રાજકારણ, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વગેરે અનીષ્ટ માટે શું આચાર સંહીતા જવાબદાર નથી? મારી દ્રષ્ટીએ સદ્આચરણ કે અનુશાશન રાષ્ટ્રના ઘડતરમાં અમુલ્ય ફાળો આપી શકે તેમ છે. પરંતુ પાટલે મોટી ખોડ છે. આપણા સંસ્કાર અને આચાર સંહીતા રુપી અમૃતનું પાન કરાવવામાં નહી આવે તો ભવીષ્યમાં એ નવી દાનવસૃષ્ટીનું સર્જન કરી તાંડવલીલા આચરશે એ નીઃશંક હકીકત છે.
દેશ આખામાં સદીઓથી મહાનપુરુષો, કથા, વાર્તા, સત્સંગ દ્વારા મનુષ્યનું આચરણ સુધારણા બાબત પર ભાર મુક્તા આવ્યા છે. સાહીત્યના વીદ્વાનોએ પણ તેમની મૌલીક રચનાઓ દ્વારા લોકશીક્ષણમાં આચાર સંહીતા ઉપર સેંકડો પુસ્તક પ્રજા સમક્ષ મુક્યા છે. છતાં કળીયુગ તેનો પ્રભાવ વધારતો જ જાય છે. આવું કેમ? એ સૌના મનનો વીકટ સવાલ છે. તો આના માટે પાયાની વાત આપણે વીચારીએ.
આપણામાં કહેવત છે કે અન્ન તેવું મન અને જળ એટલા પ્રમાણમાં પ્રદુષીત છે કે ખાતર અને રસાયણના ઝેરથી અન્ન જળ સાત્વીક મટીને તામસી બની ગયાં છે. બીજું પૈસા પાછળની આંધળી દોટ, સ્વાર્થવૃત્તી પણ આચાર સંહીતાના સીધ્ધાંત પર કુઠારાઘાત સમાન છે. ત્રીજું ધર્મથી વીમુખ થવું , દુર જવું અથવા કોઈ પણ ધર્મ કે મઝહબના પાયાના સીધ્ધાંતોને તોડી મરોડી સગવડભર્યા આધુનીક ધર્મમાં પરાવર્તન કરવું.
આચાર સંહીતા એ વ્યક્તીગત બાબત છે. છતાં પણ તેમાં ઉપરોક્ત પરીબળો ભાગ ભજવી શકે છે. અને મનુષ્ય સારા આચાર-વીચારો દ્વારા સમાજ તથા દેશને એક સારા નાગરીક તરીકે પોતાનું યોગદાન આપી શકે છે. વ્યક્તી, સમાજ અને રાષ્ટ્ર એક સુત્રમાં બંધાઈને ધરતી પરનું સ્વર્ગ બની શકે.
07.19.07
saapex – Chirag Patel
સાપેક્ષ – ચીરાગ પટેલ Jul 19, 2007
આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.
મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.
મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.
તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
જ્યારે જોઉં સદેહે, અલક મલકનાં, ખેલ એવાં નઠારાં.
ધોળાં કાળાં ગર્તમાં, વમળ ઉમડતાં, થાય સ્ફોટો ઉર્જાનાં;
રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.
વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે;
સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું જ સ્મરે!
————————————————————————–
છંદમાં કવીતા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. આખી કવીતા ‘સ્ત્રગ્ધરા’ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
કુલ અક્ષરો: 21
યતી: 7, 14
બંધારણ: ગાગાગા ગાલગાગા, લલલલલલગા, ગાલગા ગાલગાગા
ભુલચુક સુધારશો.
pankti07 – Chirag Patel
મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’
07.14.07
thayu kudaratane ke – Bansidhar Patel
થયું કુદરતને કે… – બંસીધર પટેલ
થયું સુરજને કે ઘડી હું આરામ લઉં,
પણ થાશે શું જગતનું વીચારી રહ્યો.
થયું પવનને કે ઘડી લહેર બંધ કરું,
પણ જીવશે કે કોઇ વીચારી રહ્યો.
થયું જળને કે હું ધરાથી વીલાઇ જઉં,
પણ તરસે મરશે જગત વીચારી રહ્યું.
થયું આતમરામને કે ઘડીક બહાર જઉં,
પણ ખોળીયાની કીંમત શું વીચારી રહ્યો.
થયું કુદરતને કે ઘડીક આરામ લઉં,
પણ ક્રમ સૃષ્ટીનો નહી ચાલે વીચારી રહી.
થયું કવીને કે કલમ હેઠી મુકી દઉં,
પણ કવીતા વીના જગત શુન્ય વીચારી રહ્યો.
થયું કોકીલાને કે મીઠો સ્વર બંધ કરું,
પણ ગરીમા કુદરતની કોણ ગાશે વીચારી રહી.
થયું મનુષ્યને કે હું માણસ મટી જાઉં,
પણ જગત થાશે મરુસ્થલ વીચારી રહ્યો.
panktio – Bansidhar Patel
પંક્તીઓ – બંસીધર પટેલ
1—>
ઉતારવા થાક પુરા દીનનો, આવી સંધ્યા, મીલનની હોંશથી;
નીશાના ઓછાયા ઉતરશે કાળા ડીબાંગ, ડરી જશે બીચારી સંધ્યા.
2—>
નમસ્તે સદા વત્સલે માતૃભુમે
ત્વયા હીંદુભુમે સુખમ વસ્ધીતોડહમ ॥
મહામંગલે પુણ્યભુમે ત્વદર્થે
પતત્વેષ કાર્યો નમસ્તે નમસ્તે ॥
અર્થ: હે વત્સલ માતૃભુમી, હું તને સદાય પ્રણામ કરું છું. હે હીંદભુમી, તેં જ મને સુખમાં ઉછેર્યો છે. હે મહામંગલમય પુણ્યભુમી, તારા માટે મારું આ શરીર અર્પીત છે. તને હું અનેકવાર પ્રણામ કરું છું.
3—>
જામી છે રમત અવકાશે, નક્ષત્રો, તારા, સુરજ, ગ્રહો મહીં;
પકડદાવની શરુઆત થતાં જ, મચી છે બ્રહ્માંદમાં હવે ભાગંભાગી.
નથી આવતું હાથે, કોઇ કોઇની પકડમાં, અઠંગ ખેલાડી બળીયા સહુ;
આ રહ્યો, પેલો ગયોની મચી છે બુમરાણ;
નીહાળે છે તારકસહુ પ્રેક્ષક બની, હારજીતનો નથી પ્રશ્ન.
shaayaree2 – Jigna Patel
જીજ્ઞા પટેલ – Jul 02, 2007
આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે,
શું કહું હૈયા મહીં શેની આ આગ છે;
જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાઓ ના,
દીલ બળી તણખો ઉડ્યો છે તેનો આ દાગ છે…
shaayaree1 – Jigna Patel
જીજ્ઞા પટેલ – Jun 30, 2007
પાણી બની ને હું તો વહેતી ગઇ,
ખાડા ટેકરા સહેતી ગઇ;
સમુંદરની ઝંખના કરતી ગઇ,
પણ કોણ જાણે કેમ રણમાં સમાતી ગઇ…
નીરાશા ભરી નજરોએ જોઉં ઉજ્જડમાં જડ,
થોડું આગળ વધી જાણ્યું એ મૃગજળ;
કહે છે લોક આશા અમર,
તો કેમ આમા મારા ભાગ્યમાં વમળ…
કહું છું સાગરને ચાલ કરીએ બેડો પાર,
પણ ના સમજે એ મારો ભરથાર;
કુદરતની લીલા અપરંપાર,
બતાવે કંઇક રસ્તો ફરી એક વાર…
ખુશીની ધારા બની હું વહી ગઇ,
સાગરને ઇશારે રેત પર હું ઢળી ગઇ;
શ્યામની કૃપાએ સફરને હું સહી ગઇ,
અંતે પહેચાન ગુમાવી સાગરમાં હું ભળી ગઇ…
07.07.07
kharo raahabar – Bansidhar Patel
ખરો રાહબર – બંસીધર પટેલ Sep 14, 1992
ઉડું હું બની વીહગ, ઉંચા અનેરા નીલ ગગનમાં;
વીહાર કરું હું દુર-સુદુર, અથાગ પરીશ્રમનાં ભાવ વીના.
નીરખું હું પુનઃ પુનઃ, સૃષ્ટી તણા સકળ સૌંદર્યને;
ભર્યા ભર્યા સમંદર જોયાં, રંગબેરંગી ઉપવન ઘણાં.
નગર, શહેર, અને મરુસ્થળ જોયાં, નદીનાળાં અનેક;
નથી સ્પર્શી માયા મને, નથી કશાયનો ઉદગાર.
જળકમળ બની નીરખું મનભાવન વીશ્વ ભરી;
હશે નીયમ એવો કંઇક, સાધુ તો ચલતા ભલા નો.
અનુસરું હું નીયમ તેવો, તેથી કંઇ સાધુ નથી.
મનની મલીનતા છોડી બધી, ભર્યો નીર્દોષ મધુર પ્રેમ;
મંઝીલ મારી ખબર નથી, રાહ બન્યો રાહબર.
vasant – Bansidhar Patel
વસંત – બંસીધર પટેલ Sep 14, 1992
ખીલી છે વસંત પુરબહાર, નાચે મયુર પપીહા.
અજંપો દીલમાં ભરી, મન ઉચાટ અનુભવ કરે.
પમરાટ કીટક-જંતુઓનો, ભાંભરતો ગીરીરાજ.
ખળખળ વહેતું ઝરણું સાથે, નથી ઉષ્મા તાલમાં.
વાગે છે દુર વાંસલડી, કરે હ્રદયમાં ઝણઝણાટ.
સુંદરતા ઠાંસી ભરી, વન લલીતા સોહામણી અતી.
મળવા પ્રાણ પ્યારા પ્રીતમને, તરસી રહી બુલબુલ.
અવાચક બની નીરખી રહ્યો, ઉપર આભ, ગગન રસાતળ.
ખોવાઇ ગયો હું ભુતકાળમાં, વાગોળવા કોઇ પ્રસંગ.
શમી ગયો ઉચાટ મનનો, પુલકીત બની નાચી રહ્યો.
માન્યો પહાડ કુદરતનો, ભરી ભરી નીરખું એ દ્રશ્ય.
ખોવાયેલા, ઘવાયેલા મનને, મળ્યો ખરો સહવાસ.
maaNasaai – Bansidhar Patel
માણસાઇ – બંસીધર પટેલ Sep 14, 1992
શયતાનો ફરે છે બધાં, છુટાં હરાયાં ઢોર જેવાં.
હશે કોઇ બાંધવા ખીલે, રોકવા સ્મશાન બનતું આ સંસારને!
ઉડી ગઇ છે અમી બધી, આંખો બની નીસ્તેજ ઘણી.
આવ્યો છે જમાનો એવો, કળીયુગનો કાળ બની.
નથી ભલાની જીંદગી, છે એ શયતાનોની.
વીવેકબુધ્ધી તારું નામ નથી, માણસાઇ બધી ખાડે પડી.
બન્યો છે મનુષ્ય લોહી તરસ્યો વરુ, બનીને સાકી પીએ છે રુધીર.
દુર ક્ષીતીજમાં ઉગ્યો તારલો, નથી થયો નીરાશ, આશાનું કીરણ ઉગ્યું.
shaishav ni jhankhanaa – Bansidhar Patel
શૈશવની ઝંખના – બંસીધર પટેલ Sep 14, 1992
મળે જો શૈશવ પાછું અમોને,
નથી આશા હવે ભવીષ્યનાં જીવનની.
જે વીતાવ્યું જીવન અમે,
ઘાણીના બળદથી શું એ કમ હતું?
રડી હસીને કાઢ્યાં દીવસો,
સંસારની સરગમ ગાવા અમે.
થાય છે અતી ઉચાટ મનમાં,
યાદ કરતાં જીંદગી ભુતકાળની.
વહાવી દીધું યૌવન અમે,
પાણીના મુલે અલ્પકાળમાં.
જોયા છે મરદ અમે ઘણાં,
જીવી ગયા શી ભલી જીંદગી.
રહસ્ય એનું પામવા અમે,
જોયા કંઇક ભડવીરને.
પીછાણ્યું એક સત્ય અમે,
જીવ્યા એ બાળક સમ નીર્દોષતાથી.
એટલે જ સ્તો અમે પણ,
માગીએ, શૈશવ મળે ફરી.
maaraa iShTa – Bansidhar Patel
મારા ઇષ્ટ – બંસીધર પટેલ Sep 14, 1992
રસ્તાઓ માપી બધા, અચરજ થાય શેં વાતનું?
છે આ જ રસ્તા જીંદગીના જટીલ કઠીન.
વટાવી કંટકો રાહના, ભાગ્યા દોડ્યા કાયમ સહુ,
નથી ઉચ્ચાર્યો હરફ સુધ્ધાં, સહન સહુ સીતમ કર્યા.
મળ્યા છો રાહબર સાચા ભેરુ, તાલમેલ સુર બધાં,
કરીશું સહન હશે જે કંઇ કષ્ટ ઘણાં બધાં.
નથી ભાગવાનો આશય અમારો,
ભલે હો આસમાની કે સુલતાની.
કર્યો છે એક અડગ નીર્ધાર,
મરીશું, મરીશું પણ કરીશું બેડો પાર.
મળી છે મદદ હંમેશાં તમારી,
મારી જ્યારે હાક, ઉઠ્યા છો સફાળા.
તમે ઇશ્વર નથી તો કોણ છો?
હશે જે કંઇ તે, મારે મન તો ઇષ્ટ છો.
saurabh suman – Bansidhar Patel
સૌરભ સુમન – બંસીધર પટેલ Sep 14, 1992
મહેંક ઓશીયાળી નથી પુષ્પોની
છે પુષ્પોમાં સમાયેલી મહેંક અહર્નીશ.
નથી પુષ્પોએ માગી કદી સૌરભ
કે લીધી ઉછીની અન્યની પાસે.
અનુભુતીનો આભાસ છે ખરો
સ્વર્ગની આહ્લાદક્તા પ્રસરતી બધે.
માદકતા ભરી રગેરગમાં સુમન
નીરખતાં ઠરે આંખો ભર્યા ભદર્યા ચમનમાં.
કરે છે તરોતાજા વાતાવરણને
વેરી પણ દોસ્ત બને છે ફોરમથી.
અંગોમાં નીતરી રહ્યું સૌંદર્ય અનુપમ
વીલસી રહી ગહન શાલીનતા મદમસ્ત.
પ્રગાઢ પ્રેમનું પ્રતીક પુષ્પ
સૌરભ થકી બન્યું ઉજ્જ્વળ જીવન જેનું.
maanav mandir – Bansidhar Patel
માનવ મંદીર – બંસીધર પટેલ Sep 14, 1992
કરવા માનતા પુરી, જતાં હતાં મંદીરે ભગવાનના;
ક્યાં ખબર હતી અમોને, ભાવી તારા પેટાળમાં શું છુપાયું?
દોડતી આવી સામે, મોત બની માતેલા સાંઢ સમી;
પળ બેપળમાં ઝડપથી, આવી ગયાં અંધારા, આંખે ન દેખાયું કશું.
ફરી વળી અથડાઇને, અધીરી બની, જેમ ત્રાટકે, ઝબુકે આકાશે વીજળી;
હશે નસીબ કોનું, પુણ્ય વળી પુર્વે તણું, કે આવનાર ભાવી બાળકનું ભલા.
જોયું હશે મુખ સવારે ઉઠતાં, કોઇ સુહાગન નારનું કે ખરા સજ્જનનું;
ઉગરી ગયા સહેજમાં અમે બન્ને, થયું અચરજ તમામ જોનારને.
જાન બચી લાખો પાયે, ઇશ્વર તણો લાખેણો ઉપકાર ખરો;
———————————————————————–
વાગે છે બાણ કદીક, બની અરમાનોના અશ્વ કદી;
ભુગર્ભમાં બની જ્વાળા, નીકળે છે લાવા કુવચનો બની.
———————————————————————-
ભોંકાયો કંટક દીલમાં, આહ એક સરી પડી;
અરેરાટી વ્યાપી ગઇ, વ્યાપી ગયો વીષાદ.
———————————————————————
સમીકરણ સંસારનાં, મેળવ્યાં મથી મથી;
સમુદ્રમંથન જેવો ઘાટ, અમૃત વીષ મળ્યું ખરું.